બીસીસીઆઈ ના અધ્યક્ષ અને ટિમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી ની તબિયત ફરી લથડતા કોલકત્તાની એપોલો હોસ્પિટલ માં દાખલ કરાયા છે જ્યાં આજે તેમના બ્લોકેજને દૂર કરવા માટે 2 સ્ટેન્ટ મૂકવામાં આવશે.
ગત 2 જાન્યુઆરીએ તેઓને હાર્ટ-અટેક આવ્યો હતો. ત્યાર બાદ તેમને કોલકાતાની વુડલેન્ડ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમની એન્જિયોપ્લાસ્ટી સર્જરી થઈ હતી. તેમના હૃદયમાં 3 બ્લોકેજ હતા.