હળવદમાં NMMS પરીક્ષા કેન્દ્રાે મા ફેરફાર
નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ સ્કીમ હેઠળ મોરબી જિલ્લામાં તા. ૧૪/૦૩/૨૦૨૧ ના રોજ NMMS પરીક્ષા યોજાવાની છે. આ પરીક્ષા માટે હળવદની તક્ષશીલા વિદ્યાલયનું પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલ હતું હવે તેમાં ફેરફાર કરાયો છે. તક્ષશીલા વિદ્યાલય કેન્દ્રના પરીક્ષાર્થીઓને હવે હળવદની મંગલમ્ વિદ્યાલય ખાતે પરીક્ષા આપવાની જવાની રહેશે.
મોરબી જિલ્લામાં કુલ – ૧૦ કેન્દ્રો પર NMMSની પરીક્ષા લેવામાં આવી રહી છે આ પરીક્ષા માટે હળવદની તક્ષશીલા વિદ્યાલય ખાતે ૧૨ બ્લોક ફાળવા મા આવ્યા હતા. જોકે આ બિલ્ડીંગમાં બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સીટીનું પણ કેન્દ્ર ફાળવેલ હોય NMMS પરીક્ષા માટે સ્થળમાં ફેરફાર કરાયો છે. હવે આગામી તા. ૧૪/૦૩/૨૦૨૧ના રોજ હળવદની તક્ષશીલા વિદ્યાલય ખાતે NMMS પરીક્ષા આપવા જનાર સર્વે વિદ્યાર્થીઓ એ હળવદની મંગલમ વિદ્યાલય ખાતે પરીક્ષા આપવા જવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રની ફેરફાર અંગે સર્વે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓએ ખાસ નોંધ લેવા જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ. સોલંકીની યાદીમાં જણાવાયું છે.
પ્રેસ રિપોર્ટર અમિતજી વિધાંણી હળવદ