ઉત્તરપ્રદેશમાં ગાડીઓમાં રાજપૂત-ઠાકુર-યાદવ-કુરેશી લખવા ઉપર મનાઈ : પોલીસે જાતિસૂચક શબ્દો લખેલી ગાડીઓ જપ્ત કરવાથી લઈએ મોટો દંડ ફટકારવાનું શરૂ
લખનૌ
ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રદેશને જાતિવાદી માનસિકતાથી બહાર કઢવા માટે એક બાદ એક નિર્ણય લેવાનું નક્કી કર્યું છે , જેના ભાગરૂપે ઉત્તરપ્રદેશમાં ગાડીઓમાં કોઈ પણ પ્રકારના જાતિવાદી લખાણનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે , ઠાકુર-રાજપૂત-યાદવ-કુરેશી કે અન્ય કોઈ જાતિવાદી લખાણ કે ઉદ્ગાર લખેલી ગાડીઓને આકરો દંડ ફટકારવાથી લઈને ગાડીઓ જપ્ત કરવા સુધીની કાર્યવાહી પોલીસે શરૂ કરી છે , ઉલ્લેખનીય છે કે ગાડીઓમાં જતી શુચઃકઃ શબ્દો લખવા અને તેને લઈને અન્ય જ્ઞાતિને નીચી અને ઉતારતી કક્ષાની લેખાવી એ દેશભરની અંદર વણલખી પરંપરા છે અને ઉત્તરપ્રદેશમાં બ્રહ્માણ, યાદવ,રાજપૂત, ઠાકુર અને કુરેશી કે ખાન લખેલી ગાડીઓ ઉપર દબંગાઈ અને જાતિવાદી લખાણ પ્રતિબંધિત કર્યાં છે