પશ્ચિમ બંગાળમાં મમતા ઉપર અમિત શાહનો પ્રહાર: ભાજપને એક તક આપો, 5 વર્ષમાં સોનાર બાંગ્લાનો કર્યો વાયદો
કોલકાત્તા
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમ થયો છે, ગૃહ મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે છે અને બંગાળને દીદી થી મુક્ત કરવા માટે ભાજપને એક તક આપવાની આપીલ કરી છે , પશ્ચિમ બંગાળ ના 2 દિવસીય પ્રવાસ દરમિયાન અમિત શાહે રાજકીય મહત્વના નિવેદન કર્યા છે , જેમાં બંગાળને 5 વર્ષના સમયગાળામાં સોનાર બાંગ્લા બનવાનો વાયદો કર્યો છે, પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે ચૂંટણી યોજાનાર છે અને બંગાળ મિશન ને લઈને શાહે નવી રણનીતિ અપનાવી છે અને અમિત શાહના હજુ પણ ઢગલા બંધ પ્રવાસ યોજાઈ શકે છે અને જે પ્રકારે બંગાળમાંથી દીદી ને દૂર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહયા છે તે જોતા પશ્ચિમ બંગાળની ચૂંટણી રસપ્રદ બની રહેશે